Advertisement
Author: નોબત સમાચાર

રંગમતી નદી ઉંડી-પહોળી કરવાના કામનું પુનાની કન્સલ્ટન્ટ ટીમે કર્યું નિરીક્ષણ

સુજલામ... સુફલામ યોજના અંતર્ગત

                                                                                                                                                                                                      

જામનગરની રંગમતી નદીને ઉંડી કરવા અને પહોળી કરવાની કામગીરી માટે ગઈકાલે કન્સલ્ટન્ટની ટીમ પુનાથી જામનગર આવી પહોંચી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જામનગરની રંગમતી નદીને ઉંડી ઉતારવા અને પહોળી કરવાનું કામ મહાનગરપાલિકાના નેજા હેઠળ વિવિધ સંસ્થાઓના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા દરેડના ખોડિયાર મંદિરથી કાલાવડના નાકા સુધી રંગમતી નદી સુજલામ સુફલામ અન્વયે ઉંડી ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે તેનું નિરીક્ષણ કરવા ગઈકાલે પુનાથી કન્સલ્ટન્ટની ટીમ જામનગર આવી પહોંચી હતી અને દરેડના ખોડિયાર મંદિર અને લાલપુર બાયપાસ સુધી સ્થળ નિરીક્ષણ કરી ડેટા તૈયાર કર્યાે હતો. આ સમયે જામનગર મહાનગરપાલિકાની ટીમ પણ સાથે જોડાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh