Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાઃ ન.પા. તંત્ર દ્વારા પાણી વિતરણમાં વિક્ષેપ ન પડે તેવું આયોજન

ઘી ડેમમાંથી પાણીનો જથ્થો લેવાનું શરૂ

ખંભાળિયા તા. ૨૦: ખંભાળિયા શહેરને પીવાનું પાણી પૂરૃં પાડતા ઘી ડેમ વોટર વર્કસમાં આવેલા સીપેજના પાણીના હોજ કૂવાના સ્ત્રોતમાં પાણી ખૂટવા લાગતા તથા જરૂરિયાતના ૨૫ ટકા જેટલું જ પાણી આવે તેવું થતાં પાલિકા તંત્ર દ્વારા ઘી ડેમનું પાણી લેવાનું શરૂ કર્યું છે.

એકાંતરા પાણી વિતરણ પાલિકા દ્વારા આપવામાં આવે છે. તાજેતરમાં મેઈન મોટર બળી ગઈ હતી પણ વૈલ્પિક વ્યવસ્થા કરીને પાણી વિતરણમાં ક્ષતિ પહોંચવા દીધી ન હતી. ઘી ડેમમાંથી પાણી લેવાનું શરૂ થતાં પહેલા પાણીનું ટેસ્ટીંગ કરીને ચકાસણી સાથે પાણી પીવાયુકત ક્ષાર વગરનું હોવાનું જણાતા વિતરણમાં ઉપયોગ શરૂ થયો છે. ઘી ડેમનું પાણી આવતા પાણીના રંગમાં થોડો ફરક પડી ગયો છે.

આગામી સમયમાં શહેરને નિયમિત પાણી વિતરણ થાય તે માટે પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી તથા ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડીયાના માર્ગદર્શનમાં વોટર વર્કસ ઈજનેર નંદાણીયા દ્વારા ઘી ડેમના પાણી ઉપરાંત જરૂર પડયે નર્મદાના પાણીનો પણ ઉપયોગ થાય તે માટે પણ આયોજન હાથ ધર્યું છે. 

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh