Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વેપારીની મોટરની નુકસાની અંગે વ્યાજ સાથે ચૂકવવામાં આવશે વળતર

હાઈકોર્ટ દ્વારા કરાયો આદેશઃ

જામનગર તા.૧૯ : જામનગરના એક વેપારીની મોટરનો ૨૬ વર્ષ પહેલાં અકસ્માત થતાં મોટરને થયેલી નુકસાની ટ્રિબ્યુનલે રદ્દ કરી હતી. તે હુકમ સામે હાઈકોર્ટ સમક્ષ કરાયેલી અપીલ ચાલી જતાં હાઈકોર્ટે રૂ.પોણા ત્રણ લાખનું વળતર ચઢત વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.

જામનગરના ભાનુશાળી જમનાદાસ નાથાલાલ નામના વેપારી વર્ષ ૧૯૯૮માં મોટર મારફત બહારગામ જતા હતા ત્યારે તેમની મોટર સાથે ટ્રક ટકરાઈ પડ્યો હતો. જેમાં જમનાદાસને ઈજા થઈ હતી અને મોટરમાં નુકસાન થયું હતું.

તેનો ક્લેઈમ કરાયા પછી ટ્રિબ્યુનલે મોટરચાલકની પણ બેદરકારી માની મોટરની નુકસાની રદ્દ કરી હતી. તે હુકમ સામે જમનાદાસે હાઈકોર્ટમાં વર્ષ ૨૦૧૧માં અપીલ નોંધાવી હતી. તે અપીલ ચાલી જતાં હાઈકોર્ટે મોટરની નુકસાની બદલ રૂ.૨ લાખ ૭૬ હજાર સાડા સાત ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કંપનીને હુકમ કર્યાે છે. વેપારી તરફથી વકીલ એસ.કે. રાચ્છ, પ્રેમલ રાચ્છ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh