Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રસ્તે રઝળતા ઢોર, શ્વાન અને સફાઈ મુદ્દે રજૂઆત

સામાજિક આગેવાનનો કમિશ્નરને પત્રઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: જામનગરના વોર્ડ નંબર ૧૩ મા રસ્તે રઝળતા શ્વાન, અનિયમિત સફાઈના પ્રશ્નો અંગે કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

સામાજિક આગેવાન ચેતનકુમાર ભાંભીએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, વોર્ડ નંબર ૧૩ માં અનેક ઢોર રસ્તે રઝળતા જોવા મળે છે, જેથી અકસ્માતનો ભય રહે છે. ઉપરાંત રસ્તે રઝળતા શ્વાનનો પણ ત્રાસ વધી ગયો છે. આવા શ્વાનો અવારનવાર રાહદારીઓને બટકા ભરે છે.

તેમજ વોર્ડમાં નિયમિત સફાઈ કામગીરી થતી નથી અને કચરા અને ગંદકી જોવા મળે છે. આ તમામ સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh