Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે મૃતકના ભાઈનું નિવેદન નોંધ્યું:
જામનગર તા. ૨૨: કાલાવડના વીરવાવ ગામમાં રહેતા એક યુવાને પોતાના પુત્રના લગ્નની ચિંતામાં ડીસ કેબલના વાયરથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે મૃતકના નાનાભાઈનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
કાલાવડ તાલુકાના વીરવાવ ગામમાં રહેતા પ્રકાશભાઈ રામભાઈ કાતડ નામના ૪૬ વર્ષના આહિર યુવાને શનિવારની રાત્રીથી રવિવારની સવાર સુધીમાં પોતાના ઘરની છત પર જઈ કપડાં સૂકવવાના લોખંડના એંગલમાં ડીસ કેબલનો વાયર બાંધી તેના વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.
જેની જાણ રવિવારે સવારે તેમના પરિવારજનોને થતા પ્રકાશભાઈને નીચે ઉતારીને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ યુવાનનું મૃત્યુ નીપજ્યાનું જાહેર થયું છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતકના નાનાભાઈ મનીષભાઈ નું નિવેદન નોંધ્યું છે.
જેમાં તેઓએ જણાવ્યા મુજબ પ્રકાશભાઈની આર્થિક પરિસ્થિતિ પહેલેથી જ થોડી નબળી હતી અને તેમાં પણ થોડા દિવસથી આ યુવાન પોતાના પુત્રના લગ્નની ચિંતા કરતા રહેતા હતા. આર્થિક પરિસ્થિતિથી વાજ આવીને આ યુવાને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે નિવેદનની નોંધ કરી મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial