Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં ૨૫ થી ૩૦ ડિસેમ્બર સુધી અગ્નિષ્ટોમ મહાસોમયાગ મહોત્સવ યોજાશે

નાગેશ્વર રોડ પર ફાટક નજીકના ગ્રાઉન્ડમાં આયોજન

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨૨: સોમયજ્ઞ ઉત્સવ સમિતિ-દ્વારકા દ્વારા દ્વારકા ખાતે ગુરૂવારથી વિરાટ શ્રી અગ્નિષ્ટોમ મહાસોમયાગ મહોત્સવનો પ્રારંભ થશે.

સોમયજ્ઞ ઉત્સવ સમિતિ દ્વારા દ્વારકામાં તા. ૨૫-૧૨-૨૫, પોષ સુદ પાંચમથી તા. ૩૦-૧૨-૨૫  પોષ સુદ દસમને મંગળવાર સુધી વિરાટ અગ્નિષ્ટોમ મહાસોમયાગ મહોત્સવ એવમ્ શ્રીવિષ્ણુ ગોપાલ મહાયજ્ઞનો પ્રારંભ થનાર છે.

શ્રી વિરાટ સોમયજ્ઞનો સમય દરરોજ સવારે ૮ થી રાત્રે ૯ સુધી તેમજ શ્રી વિષ્ણુ ગોપાલ યજ્ઞમાં બેસવાનો સમય દરરોજ સવારે ૯ થી ૧૦:૩૦, ૧૧ થી ૧૨:૩૦, બપોરે ૩:૩૦ થી ૫, સાંજે ૫:૩૦ થી ૭ વાગ્યાનો રહેશે.

દ્વારકાના નાગેશ્વર રોડ પર ફાટક નજીકના ગ્રાઉન્ડમાં યોજાનાર ધર્મોત્સવ પ.પૂ.ગો. ૧૦૦૮ રઘુનાથજી મહારાજ તથા પ.પૂ. જાનકી વહુજી (વિરમગામ-જુનાગઢ કામવન) ના અધ્યક્ષસ્થાને યોજાશે. સનાતન ધર્મના અનુયાયીઓ. વૈષ્ણવોની પાવન ભૂમિ દ્વારકાધામમાં જ્ઞાન-કર્મ-ભક્તિના સમન્વય રૂપે અને પ્રાણીમાત્રના સુખ, સમૃદ્ધિ, યશ, સૌભાગ્યની સંપ્રાપ્તિ અને વંશવૃદ્ધિ હેતુ શ્રી અગ્નિષ્ટોમ મહાસોમયાગ મહોત્સવનું આયોજન કરેલ છે.

ધર્મોત્સવ અંગે વધુ વિગત માટે કાર્યાલય તુલસીદાસ એન્ડ કાું., ખંભાળીયાનો સંપર્ક કરવો. આયોજક દ્વારા સર્વે વૈષ્ણવોને ધર્મોત્સવનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh