Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડમાં અકસ્માત સર્જનાર મોટરના ચાલકની થઈ ધરપકડ

હોમગાર્ડ જવાનનું થયંુ હતું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: કાલાવડમાં આઈટીઆઈ પાસે ગયા સપ્તાહે સર્જાયેલા અકસ્માતમાં હોમગાર્ડઝના જવાનનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે અકસ્માત સર્જનાર મોટરચાલકની ધરપકડ કરી છે.

કાલાવડ શહેરમાં રહેતા અને હોમગાર્ડઝમાં ફરજ બજાવતા ગિરીશભાઈ પરમાર ગયા સપ્તાહે રાત્રિના સમયે ફરજ પૂર્ણ કર્યા પછી એક્ટિવા પર ઘર તરફ જતી વેળાએ એક સ્થળે ઉભા રહ્યા હતા.

આ વેળાએ બલેનો મોટર ફૂલસ્પીડમાં ધસી આવી હતી. તેના ચાલકના બેદરકારી પૂર્વકના ડ્રાઈવીંગથી ગિરીશભાઈ હડફેટે ચઢી ગયા હતા. આ અકસ્માતમાં ગિરીશભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે મોટરના ચાલક ધર્મેશ દિનેશભાઈ સોંદરવાની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh