Advertisement
Author: નોબત સમાચાર

હોટલના એકાઉન્ટન્ટ પર જીવલેણ હુમલાના કેસમાં જ્ઞાતિ પ્રમુખની આગોતરા અરજી રદ્દ

ભાગીદારીમાં ચાલતા વિવાદમાં કરાયો હતો હુમલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરની હોટલ વિશાલ ઈન્ટરનેશનલના એકાઉન્ટન્ટને ત્રણ સપ્તાહ પૂર્વે ટોળાએ પ્રાણઘાતક હુમલો કરી માર માર્યાે હતો. તે ગુન્હાના એક આરોપી એવા જામનગરની ભાનુશાળી જ્ઞાતિના પ્રમુખ દ્વારા આગોતરા જામીન મેળવવા અરજી કરાઈ હતી. તે અરજી અદાલતે રદ્દ કરી છે.

જામનગરમાં આવેલી હોટલ વિશાલ ઈન્ટરનેશનલના ભાગીદારો વચ્ચે ચાલતા વિવાદ દરમિયાન ગઈ તા.ર૬ની રાત્રે એકાઉન્ટન્ટ અમિત ચંદુભાઈ ચુડાસમાને ફોન પર જણાવાયું હતું કે, તારે કાલથી કામ પર જવાનું નથી. તેનું કારણ અમિતે પૂછતા મળવા આવવાનું કહેવાયું હતું અને તેના પર ધોકા-પાઈપથી ટોળાએ હુમલો કર્યાે હતો.

પ્રાણઘાતક ઈજા પામેલા અમિતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જામનગરની ભાનુશાળી જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઈ મનસુખભાઈ ભદ્રા વગેરે સામે ગુન્હો નોંધ્યો હતો. આ ગુન્હામાં આગોતરા જામીન મેળવવા કિરીટભાઈ ભદ્રાએ અરજી કરતા ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે, ભાગીદારીના વિવાદમાં નિર્દોષ એકાઉન્ટન્ટને માર મારવામાં આવ્યો છે અને આ આરોપીએ માણસો મોકલી માર મરાવ્યાનો આક્ષેપ છે. ત્યારે આ આરોપીને આગોતરા જામીન આપવા ન જોઈએ. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપી કિરીટભાઈ ભદ્રાની આગોતરા જામીન અરજી રદ્દ કરી છે. મૂળ ફરિયાદી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલ રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh