Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જલેબી-ગાંઠિયા, ચા અને પાનનું પ્રસાદી તરીકે વિતરણ
અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજના દિવસે ઉજવણી કરવામાં આવે છે, જ્યારે જામનગરમાં નિઃશુલ્ક ધોરણે પ્રસાદી રૂપે ચા-પાનનું વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રામ ભક્તો દ્વારા પ્રસાદી વિતરણ કરાયું હતું.દિગ્વિજય પ્લોટ, ઓશવાળ હોસ્પિટલ સામે, ઠાકર ડીલક્સ પાનવાળા ઈન્દ્રજીતસિંહ, સંજયસિંહ અને નરેશસિંહ ચૌહાણ દ્વારા પ્રતિવર્ષની માફક ગઈકાલે મીઠા પાનનું વિતરણ કરાયું હતું.આજે ૧ર૧ર૧ર પાનનું વિતરણ થયું છે. ઉપરાંત તેના પડોશી ધંધાર્થી એવા મુરલીધર હોટલના રવાભાઈ, રાજુભાઈ અને મેઘાભાઈ બોરસિયા (ભરવાડ) દ્વારા આજે ચા નું વિતરણ પ્રસાદી સ્વરૂપે કરાયું હતું. સાથોસાથ હિંગળાજ અલ્પાહારના કપિલ કનખરા અને અમિત ભાનુશાળી દ્વારા જલેબી-ગાંઠિયાનું બપોરે આરતી પછી પ્રસાદી સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial