Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર અને દ્વારકા જિલ્લાઓમાં નેતાગીરી નબળી કે બીજુ કાંઈ રાજકારણ?
જામનગર તા. ૩૧: ગુજરાત રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચ શિક્ષણ નિયામકની કચેરીનું વિકેન્દ્રિકરણ કરવા નિર્ણય લેવાયો હતો. જેના અનુસંધાને રાજ્યના દસ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓમાં ઉચ્ચ શિક્ષણ નિયામક કચેરીઓ ચાલુ કરવા તથા નજીકની કોલેજના આચાર્યોને તેની જવાબદારીઓ સોંપવા હુકમ કર્યો છે.
રાજ્યના છેવાડાના વિસ્તારની કોલેજોને પ્રશ્નો અંગે ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ નિયામકની કચેરીએ જવું પડતું હોય, વારંવાર ધક્કાથી નાણા-સમયનો વ્યય થતો હોય, ૧૦ જિલ્લાઓમાં હાલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં આ કચેરીઓ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે.
જે જિ.શિ. કચેરીઓમાં ઉ.શિ.નિ.ની કચેરીઓ શરૂ થશે તે જિલ્લાઓ અમદાવાદ, આણંદ, બોટાદ, જૂનાગઢ, મહેસાણા, પાટણ, રાજકોટ, સુરત, વડોદરા અને વલસાડનો સમાવેશ થયો છે તથા ૧૦ જિલ્લાની કોલેજોના આચાર્યોને આ કચેરીઓની જવાબદારીઓ સંભાળવા આદેશ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial