Advertisement
Author: નોબત સમાચાર

સુખી સમૃદ્ધ વર્ષનાં આશીર્વાદ માટે હજારો ભક્તો રાજાધિરાજ શ્રી દ્વારકાધીશના શરણે...

દ્વારકામાં નવા વર્ષે ઉમટ્યો ભક્તોનો સાગર

                                                                                                                                                                                                      

અંગ્રેજી કેલેન્ડર મુજબ વર્ષ ૨૦૨૬ નો આરંભ થતા નવું વર્ષ સુખમય અને સમૃદ્ધીમય રહે એ માટે રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશનાં આશીર્વાદ મેળવવા માટે દ્વારકામાં ભક્તોનો સાગર ઉમટ્યો હતો. સવારથી જગતમંદિરે ભક્તોની કતારો જોવા મળી હતી. ભક્તોની ભીડની સંભાવનાનો અંદાજ લગાવી તંત્ર દ્વારા નાતાલનાં મિની વેકેશન સપ્તાહમાં જ બેરીકેડ તથા ભક્તોની કતાર કરવા માટે રેલીંગ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી જેને પગલે સરળતાથી ક્રાઉડ મેનેજમેન્ટ શક્ય બન્યુ હતું. સુરક્ષાકર્મીઓ પણ ખડેપગે રહૃાા હતાં.આજે પંચાગ મુજબ કોઈ તહેવાર કે ઉત્સવ નથી પરંતુ નવું વર્ષ આરંભ થતું હોય હજારો ભક્તો ઉમટી પડતા દ્વારકામાં તહેવાર જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh