Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગોકુલનગર જકાતનાકાથી સાંઢિયા પુલ માર્ગે થશે ડીપી કપાત

મહાનગરપાલિકા ટીમે સ્થળ મુલાકાત કરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામનગરમાં સાંઢિયા પુલ માર્ગે ડીપી કપાત અંગે ગઈકાલે મહાનગરપાલિકાના અધિકારીની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી, અને જરૂરી નિરીક્ષણ કર્યું હતું.

જામનગરમાં ગોકુલનગર જકાત નાકાથી સાંઢિયા પુલને ૩૦ મીટર પહોળો કરવામાં આવનાર છે. આ અંગે ૮૩ મિલકતધારકોને જરૂરી નોટીસ પાઠવાઈ હતી. પરિણામે અમૂક આસામીઓએ સ્વેચ્છાએ પાડતોડ શરૂ કરી દીધી છે.

આ માર્ગના નિરીક્ષણ માટે ગઈકાલે આસી. કમિશનર મુકેશ વરણવા ઉપરાંત અન્ય અધિકારીઓ કેતન કટેશિયા સહિતની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને અમૂક આસામીઓને પોતાના બાંધકામ દૂર કરવા સૂચના આપી હતી.

આ બાંધકામોમાંથી જેમને બાંધકામો કાયદેસર છે તેમને મહાનગરપાલિકા દ્વારા ડીપી કપાત અન્વયે યોગ્ય વળતર ચૂકવાશે. હવે આગામી ટૂંક સમયમાં આ માર્ગ ઉપર પાડતોડ કામગીરી મહાનગર પાલિકા દ્વારા શરૂ કરવામાં આવશે. ત્યારપછી આ રોડના નવીનિકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh