Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં સજાનો હુકમ અપીલમાં રાખવામાં આવ્યો યથાવત

૧૫ લાખના ચેક પરતની રાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના એક આસામીને રૂ।.૧પ લાખના ચેક પરતના કેસમાં નીચેની કોર્ટે એક વર્ષની કેદ અને વળતરનો હુકમ કર્યાે હતો. તે હુકમ સામે કરાયેલી અપીલમાં નીચેની કોર્ટનો હુકમ યથાવત રહ્યો છે.

જામનગરના મેહુલ સિનેમેક્સ પાછળ વસવાટ કરતા દેવાયતભાઈ વરૂ પાસેથી રૂ।.૧૫ લાખ તેમના મિત્ર સંજય લક્ષ્મણભાઈ સુવાએ હાથઉછીના લઈને ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી.

તે કેસ ચાલી જતા અદાલતે આરોપી સંજય લખમણભાઈ સુવાને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદ અને રૂ।.૧૫ લાખના વળતરનો હુકમ કર્યાે હતો. તે હુકમ સામે સંજય સુવાએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. અદાલતે નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે. ફરિયાદી તરફથી વકીલ રણમલ કાંબરીયા, અભિષેક નંદા, રવિ કરમુર, હિતેશ ગાગીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh