Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાનો ખારઃ
જામનગર તા. ૧: જામનગરના એક યુવાને એકાદ વર્ષ પહેલાં કરેલા પ્રેમલગ્નના કારણે ઉશ્કેરાયેલા ધ્રોલના શખ્સે તેઓને ગાળો ભાંડી પત્ની તથા પુત્ર સાથે પતાવી દેવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૭માં રહેતા પુનીતભાઈ દીવાનભાઈ થધાણી નામના યુવાન મંગળવારે સવારે રણમલ તળાવની પાળે બાલાહનુમાન મંદિર પાસે હતા ત્યારે ધ્રોલના ગાયત્રીનગરમાં વસવાટ કરતા અનિરૂદ્ધસિંહ ગંભીરસિંહ જાડેજાએ તેઓને ફોન કરીને ગાળો ભાંડવા ઉપરાંત આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બાબતની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પુનીતભાઈએ ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, તેમના પત્નીની બેએક વર્ષ પહેલાં અનિરૂદ્ધસિંહ સાથે સગાઈ નિરધારવામાં આવી હતી. ત્યારપછી એકાદ વર્ષ પહેલાં રીનાબાએ પુનીતભાઈ સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા અને તે પછી આ દંપતીને પુત્રની પ્રાપ્તિ પણ થઈ હતી. આ બાબતનો ખાર રાખી અનિરૂદ્ધસિંહે ગાળો ભાંડવા ઉપરાંત પુનીતભાઈ, તેમના પત્ની તથા પુત્રને પતાવી દેવાની ધમકી આપી છે. પોલીસે બીએનએસની કલમ ૩૫૧ (૩), ૩૫૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial