Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વારંવાર રજૂઆતો છતાં પ્રશ્ન અણઉકેલઃ
જામનગર તા. ર૩ઃ જામજોધપુર તાલુકાના બાલવા, જામવાડી, વસંતપુર સહિત વિવિધ ગામોને સરકારની સૌની યોજનાનો લાભ મળતો નથી. ગામના અગ્રણીઓ, ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સાંસદ પૂનમબેન માડમ તથા પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરિયા તેમજ અનેકવાર લગત ડિપાર્ટમેન્ટને લેખિતમાં તથા મૌખિક અનેક રજૂઆત કરી છતાં પ્રશ્નનો નિકાલ આવ્યો નથી.
ગત્ ચૂંટણી પહેલા આ વિસ્તારના લોકોને રાજકીય આગેવાનો દ્વારા ખાસ કિસ્સામાં લેવાની ખાતરી આપી હતી અને અધિકારી દ્વારા સર્વે પણ કરવામાં આવેલ હતું, પણ ચૂંટણી પૂરી થઈ જતા પ્રજાના પ્રતિનિધિ આ પ્રશ્ન અંગે આપેલ ખાતરી ભૂલી ગયા હોય, સર્વે કર્યા પછી કોઈ કામ આગળ ન વધતા આ પંથકના ખેડૂતો પાણી માટે વલખા મારે છે. જેથી આ પ્રશ્નનો વહેલી તકે નિકાલ કરી ખેડૂતોની પરેશાની દૂર કરવા આ વિસ્તારના ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial