Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ફોર વ્હીલર વાહનોને ગમે ત્યાં પાર્કિંગ કરવાનો શું પીળો પરવાનો આપ્યો છે ?

                                                                                                                                                                                                      

ચાંદીબજારમાં ટુ વ્હીલર પાર્કિંગમાં ફોર વ્હીલર વાહનો !

જામનગર તા. ૨૩ઃ જામનગર શહેરના હાલના રસ્તાઓ હવે વધારે પહોળા થઈ શકે તેમ જણાતું નથી અને વાહનોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે જેને કારણે મોટાભાગના રસ્તાઓ ઉપર રોજેરોજ ટ્રાફિક જામના દૃશ્યો સર્જાય છે, ઉપરાંત વાહન પાર્ક કરવા માટે જગ્યા પણ શોધવી પડે છે. આમાં પણ ચાંદી બજાર, બર્ધન ચોક, બેડીગેઈટ, ઈન્દ્રપ્રસ્થ જેવા સ્થળોએ તો વાહન પાર્ક કરવાની સમસ્યા શિરદર્દ જેવી બનતી જાય છે. વાહન પાર્ક કરવા માટે સત્તાવાળાઓ દ્વારા જાહેર માર્ગની બંને તરફ પીળા રંગના પટ્ટા દોરેલા છે પરંતુ લોકો જાણેજ છે કે તેની શું હાલત છે ! ટ્રાફિકથી ધમધમતા ચાંદી બજારમાં સોના ચાંદીની દુકાનો પાસે ટુ વ્હીલર પાર્ક કરવા માટેનું બોર્ડ મારવામાં આવ્યું છે આમછતાં તસવીરોમાં દેખાય છે તેમ ત્યાં જાહેરમાર્ગ ઉપર ફોર વ્હીલર વાહન પાર્ક કરેલા સ્પષ્ટ દેખાય છે !

ટુ વ્હીલર ધારકનું વાહન જો ભૂલેચૂકેય થોડુંક પણ પીળા રંગના પટ્ટાની બહાર દેખાય તો વાહન ટોઈંગ કરવાવાળા પ્રકટ થઈ જ જવાના ! દંડવા માટે ! તો પછી * મોટા માણસોને* ફોર વ્હીલર વાહન પાર્ક કરવા માટેનો પીળો પરવાનો આપવામાં આવ્યો ?? વાહન ટોઈંગ કરવાવાળાની કામગીરી ઘણી વખત શંકાસ્પદ હોવા અંગેના આક્ષેપ થાય છે તે ચાંદી બજારમાં બિન્ધાસ્ત રીતે પાર્કિંગ કરેલા ફોર વ્હીલર સમર્થન કરતા હોય તેવું લાગે છે. સત્તાવાળાઓ આ બાબત શા માટે કોઈ કાયમી ધોરણે વ્યવસ્થા ગોઠવતા નથી? તેવો પ્રશ્ન રિટેલ વેપારી મહામંડળ -જામનગરના પ્રમુખ શશિકાન્ત મશરૃએ ઉઠાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh