Advertisement
Author: નોબત સમાચાર

ગ્રાહક સુરક્ષા કોર્ટ શરૃ કરવા ખંભાળિયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્યની રજૂઆત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લો ર૦/૩ ની પંદરમી ઓગસ્ટના બન્યાને બાર વર્ષ થઈ ગયા છતાં દ્વારકા જિલ્લાની ગ્રાહક સુરક્ષા કોર્ટ જિલ્લાનાી ના હોય લોકોને કોર્ટ કેસ માટે જામનગર ફરજિયાત જવું પડતું હોય, ખંભાળિયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા ઉચ્ચ કક્ષાએ સંબંધિત તંત્રોને રજૂઆતો કરી છે.

તેમણે જણાવેલ કે છેક બાર વર્ષ પહેલા ર૦૧૩ માં દ્વારકા જિલ્લો નવો બન્યો તથા ઘણાં સમયથી જિલ્લા કોર્ટો પણ થઈ ગઈ છે તથા જિલ્લા કક્ષાનું ભવ્ય મોટું બિલ્ડીંગ છે, પણ ગ્રાહક સુરક્ષા ફોરમની કોર્ટ ના હોય તથા હાલ ગ્રાહ સુરક્ષા તથા ગ્રાહક જાગૃતતા માટે આવતા લોકો પોતાની છેતરપિંડી માટે ફરિયાદો કરતા હોય, છેક ઓખાથી ભાણવડ, દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુર તમામને ફરિયાદ કરવા કેસ ચલાવવા તારીખોમાં ફરજિયાત જામનગર ગ્રાહક સુરક્ષા ફોર્મમાં જવું પડતું હોય, નાણા તથા સમયનો વ્યય થતો હોય, દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયામાં આ કોર્ટ શરૃ કરવાની માંગ કરાઈ છે.

હાલ સલાયા રોડ પર જે નવી જિલ્લા કોર્ટ બની તે વિશાળ હોય, તથા તેમાં જગ્યા પણ હોય, ત્યાં અન્ય કોર્ટોની સાથે ગ્રાહક સુરક્ષા કોર્ટ પણ થઈ શકે તેમ હોય, માત્ર ન્યાયાધીશ તથા સ્ટાફની નિયુક્તિથી લોકોને કિલોમીટરોનો ધક્કો ખાવો ના પડે તેવું થતું હોય, આ અંગે યોગ્ય કરવા માંગ કરાઈ છે, જેથી છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રાહકોને જામનગરના ધક્કા ન થાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh