Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે છોડીને પરત આવતાં જ
નવી દિલ્હી તા. ૨૩ઃ પહલગામ આતંકી હુમલા પછી પ્રવાસ અધવચ્ચે છોડીને સાઉદીથી પાછા આવતા જ એરપોર્ટ પર વડાપ્રધા મોદી, ડોભાલ એન જયશંકર વચ્ચે હાયપાવર ઈમરજન્સી બેઠક યોજાઈ હતી.
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. દિલ્હી પહોંચતાની સાથે જ તેમણે એરપોર્ટ પર જ એક ઈમરજન્સી બેઠક બોલાવી.
આ મહત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવ હાજર રહૃાા હતા.
વડાપ્રધાનના વિદેશ પ્રવાસ પરથી પરત ફર્યા પછી તરત જ યોજાયેલી આ ઉચ્ચ-સ્તરીય બેઠકમાં હુમલાની ગંભીરતા, આંતરરાષ્ટ્રીય પ્રતિભાવ અને સુરક્ષા વ્યૂહરચનાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાન સાથે દ્વિપક્ષીય બેઠકમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાકીના કાર્યક્રમો છોડીને આજે સવારે દેશ પરત ફર્યા હતા.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ ગઈકાલે રાત્રે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાન સાથેની મુલાકાત પછી તરત જ પાછા ફરવાનો નિર્ણય લીધો. તેમણે ક્રાઉન પ્રિન્સના શાહી ભોજન સમારંભમાં પણ હાજરી આપી ન હતી અને ભારતીય સમય મુજબ રાત્રે ૧ઃ૪૫ વાગ્યે ઉડાન ભરી હતી અને આજે સવારે ૬ઃ૪૫ વાગ્યે નવી દિલ્હી પહોંચ્યા હતા. ઈમરજન્સી સ્થિતિને ધ્યાનમાં રાખીને, પીએમ મોદીએ આજે સવારે સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિની બેઠક બોલાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial