Advertisement
Author: નોબત સમાચાર

'એ' વર્ગની પાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક ક્યારે?

                                                                                                                                                                                                      

ખંભાળિયાની વધુ એક કમનસીબી

ખંભાળિયા તા. ર૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડું મથક ખંભાળિયા છે જેની નગરપાલિકાના ચીફ ઓફિસની ખુરશી જાણે શ્રાપિત હોય અહીં કોઈ ટકતું નથી. લાંબા સમય સુધી ક્યારેક વર્ષ-બે વર્ષ ઈન્ચાર્જના થીંગડા ચાલે છે.

અગાઉ ચીફ ઓફિસરની ખાલી જગ્યા પડતા ખંભાળિયા ચીફ ઓફિસમાં ઈન્ચાર્જ તરીકે દોઢ વર્ષમાં તેર ચીફ ઓફિસર બદલાયા હતાં. જામરાવલ, દ્વારકા, ઓખા, ભાણવડ, સલાયા અને જામનગર જિલ્લાના સિક્કા તથા જામજોધપુરથી અહીં ઈન્ચાર્જ મૂકાયા હતાં.

ત્યારપછી વર્ગ-૧ ના ચીફ ઓફિસર તરીકે યશવંતસિંહ વાઘેલા અને સાતેક મહિના પછી વ્યાસની નિયુક્તિ થઈ હતી, પણ તે બદલી ગયા... હવે રાજકોટથી ઈન્ચાર્જ ચેતન ડુડિયાથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. ખંભાળિયા નગર પાલિકાના કારોબારી સમિતિના પૂર્વ અધ્યક્ષા હીનાબેન આચાર્યએ 'એ' વર્ગની નગરપાલિકામાં વહેલીતકે કાયમી ચીફ ઓફિસરની નિયુક્તિ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. ખંભાળિયામાં ન.પા. હસ્તકના ૮૦ કરોડના વિકાસ કામો ગતિમાન થવાના છે ત્યારે કાયમી ચીફ ઓફિસરની જરૃર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh