Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાંત અધિકારીને રિક્ષાચાલકોએ પાઠવ્યુ આવેદનપત્ર
દ્વારકા તા. ૨૩ઃ યાત્રાધામ દ્વારકામાં સી.એન.જી. પંપ ઉપલબ્ધ ન હોય જેના કારણે સી.એન.જી. રિક્ષા ચાલકો તેમજ અન્ય ગેસ આધારિત વાહનોને ગેસ ફીલીંગ કરવા માટે આશરે ૩૦ કિમી દૂર કુરંગા સુધી ધકકો ખાવો પડતો હોય દ્વારકાના સી.એન.જી. રિક્ષાચાલકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ છે.
જેઓની રજૂઆતમાં જણાવ્યા અનુસાર દ્વારકા આસપાસ સીએનજી પંપના અભાવે ગેસ ભરાવવા માટે દ્વારકાથી આશરે ૩૦ કિમી દૂર કુરંગા ગામમાં આવેલ સીએનજી પંપ પર જવું પડે છે જયાં પણ લાંબી કતારો હોય જેના કારણે એકથી દોઢ કલાક સુધી વારો આવતો નથી. જેના કારણે બમણો આર્થિક માર લાગતો હોય દ્વારકામાં સીએનજી સ્ટેશન ખોલવા અથવા તો કુરંગા સીએનજી સ્ટેશન પર રિક્ષાચાલકો માટે અલાયદી લાઈનની વ્યવસ્થા કરાવી આપવા રજૂઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial