Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક પ્રશ્નના લેખિત જવાબમાં અપાઈ વિગતો
નવી દિલ્હી તા. ૧૪: લોકપાલને ભ્રષ્ટાચારની ૨,૪૦૦થી વધુ ફરિયાદ મળી હતી, જેમાંથી ૨૩૫૦નો નિકાલ કરાયો હોવાનો દાવો સરકારે સંસદમાં એક પ્રશ્નના જવાબમાં આપેલી વિગતોમાં કર્યા છે.
લોકપાલને અત્યાર સુધીમાં ભ્રષ્ટાચારની ૨૪૦૦થી વધુ ફરિયાદો મળી છે, જેમાંથી ૨૩૫૦ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે, એમ સરકારે સંસદમાં જણાવ્યું હતું. રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહૃાું હતું કે લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ, ૨૦૧૩ દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૧૪ના અમલમાં આવ્યો હતો. લોકપાલ સંસ્થાની સ્થાપના થઇ ચૂકી છે અને તે સંપૂર્ણપણે કાર્ય કરી રહી છે.
તેમણે કહૃાું કે ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીના આંકડાઓ અનુસાર, લોકપાલે ૨,૪૨૬ ફરિયાદો નોંધવામાં આવી હતી જેમાંથી ૨,૩૫૦ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.
તેમણે કહૃાું કે વર્તમાનમાં અધ્યક્ષ ઉપરાંત છ સભ્યો છે, જેમાંથી ત્રણ ન્યાયિક સભ્યો છે. કાયદાની કલમ ૩ મુજબ, લોકપાલમાં અધ્યક્ષ સિવાય આઠથી વધુ સભ્યો નહીં હોય અને તેમાંથી ૫૦ ટકા ન્યાયિક સભ્યો હશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial