Advertisement
Author: નોબત સમાચાર

બૌદ્ધ સમાજ દ્વારા સંધ્યા બુદ્ધ વંદના

કેન્દ્રની મુલાકાતે વિપસ્યાયી રીટાબેન દેપાણીઃ

જામનગર તા. ૧૪: જામનગરના લાલબંગલા પાસે દર રવિવારે સાંજે બૌદ્ધ સમાજ દ્વારા સંધ્યા બુદ્ધ વંદના તથા આનાપાન કાર્યક્રમ યોજવામાં આવે છે. બૌદ્ધ સમાજની બહેનોએ આપેલા નિમંત્રણને માન આપીને જામનગર વિપશ્યાના કેન્દ્ર (નવાગામ ઘેડ)ના વિપસ્યાયી રીટાબેન દેપાણીએ સંધ્યા બુદ્ધ વંદના કેન્દ્રની મુલાકાત લીધી હતી.

આ તકે સૌ પ્રથમ સમૂહ બુદ્ધ વંદના કરવામાં આવી હતી. ત્યારપછી રીટાબેન દેપાણી, નેશનલ બ્રધરહુડના રમેશભાઈ રાઠોડ તથા દિપભાઈ ગોહેલ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ગૌતમભાઈ પાઢેન, મેઘજીભાઈ સીંગરખીયા, રમેશભાઈ પરમાર,  શારદાબેન ભગત, નીકિતાબેન સોંદરવા, નયનાબેન વાણવી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh