Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન.પા. હસ્તકનો માર્ગ રીપેર કરવા અંગેની પૂર્વ કારોબારી ચેરમેનની રજૂઆતને સફળતાઃ
ખંભાળિયા તા. ૮: ખંભાળિયા શહેરમાં પ્રશ્નોની સાથે જ રેલવે ફાટક પાસેથી રેલવે સ્ટેશન સુધી રોડ અત્યંત ખાડાવાળો હોય, તથા મોટા ખાડા પણ પડી ગયા હોય, આ રસ્તો પાલિકા દ્વારા બનાવવા નક્કી થયું હતું, પરંતુ રેલવે સ્ટેશનના વિકાસમાં અમુક હિસ્સો સ્ટેશનમાં આવતો હોય, નવો રસ્તો પાલિકા બનાવે પણ રેલવે તંત્ર બનાવે તેવું નક્કી થયું હતું.
હવે... અંતે રેલવે તંત્રએ સ્ટેશન પાસેનો બિસ્માર માર્ગ નવો સીસી રોડ બનાવવાના કામનો આરંભ કર્યો છે.
પૂર્વ પાલિકા કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય દ્વારા પાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણીને રજૂઆત કરીને જે રસ્તો રેલવે બનાવે તે સિવાય અને બાકીનો રસ્તો રીપેરીંગ અથવા રીકારપેટ કરવા તથા સ્ટેશન પાસે જુના જકાતનાકા નજીક મોટા ખાડા પડ્યા હોય, તેના રીપેરીંગની પણ રજૂઆત કરતા પાલિકા ઈજનેર દ્વારા આ અંગે તુરત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial