Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના તમામ માર્ગો પરથી રેંકડી-પથારાવાળાના દબાણો હટાવવા ચૂસ્ત બંદોબસ્ત સાથે તંત્રની કવાયત

સવારે નવ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી

જામનગર તા. ૮: જામનગરમાં રણજીત રોડથી સેન્ટ્રલબેન્ક- હવાઈ ચોક સુધીનો રસ્તો ખુલ્લો રખાવવા માટે મહાનગરપાલિકા અને એસ્ટેટ શાખાની કવાયત ચાલી રહી છે. સવારે ૯ વાગ્યાથી છેક રાત્રિના ૯ વાગ્યા સુધી પોલીસ તંત્રને સાથે રાખીને એસ્ટેટ વિભાગ દ્વારા અવિરત કાર્યવાહી થઈ રહી છે.

જામનગર શહેરમાં રણજીત રોડથી દીપક સિનેમા, શાકમાર્કેટ, દરબારગઢ, બર્ધનચોક, માંડવી ટાવર, સેન્ટ્રલ બેન્ક અને હવાઈ ચોક સુધીના સંપૂર્ણ માર્ગ પર દિવસ દરમ્યાન અનેક રેકડી અને પથારાવાળાઓ દબાણ કરીને વાહન વ્યવહારને અવરોધ ઊભો કરતા હોય છે. આ કાયમી સમસ્યા નિવારવાના ભાગરૂપે બર્ધન ચોક વિસ્તારમાં હંગામી પોલીસ ચોકી સહિતની કાર્યવાહી ચાલી રહી છે, જેની સાથે સાથે શહેરના અતિ ગીચ એવા તમામ મુખ્ય રોડ પર રેંકડીના જંગલ વગેરેને દૂર કરવા માટે મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત તેમજ દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાલીની રાહબરી હેઠળ એસ્ટેટ શાખાના આઠ કર્મચારીઓ તેમજ પોલીસ વિભાગની ટીમ વહેલી સવારે ૯.૦૦ વાગ્યાથી રાત્રિના ૯.૦૦ વાગ્યા સુધી રણજીત રોડ થી લઈને જે હવાઇ ચોક સુધીના માર્ગે રાઉન્ડ ધ ક્લોક ફરી રહી છે  અને મોટાભાગના રેંકડી પથારાવાળાના દબાણોને ખસેડવાની અવિરત કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.

શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરી શકાય, તે દિશામાં પગલું ભરવામાં આવી રહૃાું છે. શહેરમાં અનેક સ્થળે એસ્ટેટ શાખાની ટીમ અને પોલીસના કર્મચારીઓને રેંકડી પથારાવાળાઓ વચ્ચે અનેક સ્થળે રકઝક થાય છે, પરંતુ શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી ફરવાના ભાગરૂપે તંત્ર દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહૃાું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh