Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સ સામે તણાઈ શંકાની સોયઃ
જામનગર તા.૧૧ : કાલાવડના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા એક પરિવારની સત્તરેક વર્ષની પુત્રી ત્રણ સપ્તાહ પૂર્વે પોતાના ઘરેથી રાત્રિના સમયે ગુમ થઈ ગઈ હતી. તે તરૂણીનું બાલંભડી ડેમ પાસે રહેતા એક શખ્સે બદઈરાદાથી અપહરણ કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
કાલાવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા અન્ય જિલ્લાના વતની પરિવારની સોળ વર્ષ અને છ મહિનાની વય ની પુત્રી ગઈ તા.૨૦ ડિસેમ્બરે રાત્રે તેણીનો પરિવાર સૂવા ગયો તે પછી બીજા દિવસની સવારના છ વાગ્યા પહેલાં પોતાના ઘરેથી ભેદી સંજોગોમાં લાપત્તા બની હતી.
આ સગીરાની શોધખોળ તેના પરિવાર દ્વારા શરૂ કરાયા પછી પણ ક્યાંયથી સગડ નહીં મળતા અને કાલાવડ તાલુકાના બાલંભડીના ડેમ નજીક નેસડામાં રહેતો ધના રાજવીર માલાણી નામનો શખ્સ તેણીને નસાડી ગયો હોવાની વિગત મળી હતી.
તેના પરથી ગઈકાલે આ સગીરાના માતાએ કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં પોતાની પુત્રીનંુ અપહરણ ધના રાજવીર માલાણીએ કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ ૮૭, ૧૩૭ (ર) હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial