Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ડમ્પીંગ પોઈન્ટમાંથી ર૧ ટન કચરાનું હેતુલક્ષી પ્રોસેસીંગ સંપન્ન

જૂન-ર૦રપ સુધીમાં કચરાનો ઢગલો ખતમ કરવાનું લક્ષ્ય

જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકાના ગુલાબનગર વિસ્તારના ડમ્પીંગ પોઈન્ટમાંથી ગઈકાલ સુધીમાં ર૧ હજાર ટન કચરાને ઉપાડી લેવાયો છે અને પ્રોસેસ કરવામાં આવ્યો છે. જૂન સુધીમાં આ કચરાનો ઢગલો ખાલી કરી નાખવામાં આવનાર છે.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ડમ્પીંગ પોઈન્ટમાં કચરાનો ગંજ ખડકાતા વિભાપરની સીમના ખેડૂતો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં અને કચરાની દૂર-દૂર સુધી દુર્ગંધ ફેલાઈ હતી.

આખરે કચરાના પ્રોસેસીંગ કરી તેનો નિકાલ કરવાનો નિર્ણય લેવાયો હતો અને આ પછી આ ૬ કરોડ ૩૪ લાખના ખર્ચે થનારી કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગઈકાલ સુધીમાં ર૧ હજાર ટન કચરાનું પ્રોસેસીંગ કરવામાં આવ્યું છે.

આગામી જૂન માસ સુધીમાં ૧ લાખ ૩૦ હજાર ટન કચરાને પ્રોસેસ કરીને કચરાનો નિકાલ કરવામાં આવનાર છે.

આ કચરામાંથી આરડીએફ ખાતર (કમ્પોસ), પથ્થર અલગ અલગ કરવામાં આવી રહ્યું છે. બાકીના કચરાને વીજળી ઉત્પન્ન કરવાના પ્લાન્ટમાં મોકલવામાં આવી રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh