Advertisement
Author: નોબત સમાચાર

હનુમાન ટેકરીમાં અકળ કારણથી યુવાને કરી લીધી આત્મહત્યા

ઘરમાં ગળાફાંસો ખાધોઃ

જામનગર તા.૧૧ : જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાને ગઈકાલે અકળ કારણથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે મૃતકના ભાઈનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા લોટ દળવાના મીલ પાસે રહેતા પ્રશાંતભાઈ ગોપાલભાઈ મકવાણા નામના ઓગણત્રીસ વર્ષના યુવાને ગઈકાલે સવારે  ઘરમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની જાણ થતાં પોલીસને વાકેફ કરાઈ હતી. પોલીસે મૃતકના નાનાભાઈ સંજય મકવાણાનું નિવેદન નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો છે અને આ યુવાનની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh