Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એકાદ વર્ષથી હાથતાળી આપી નાસતો ફરતો હતોઃ
જામનગર તા.૧૦ : જામજોધપુરના કલ્યાણપર ગામના ખેડૂત પરિવારને તાંત્રિક વિધિથી રૂપિયા બનાવી દેવાની વાતો કરી ઠગી લેનાર ટોળકીના છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે વાંકાનેરમાંથી પકડી પાડ્યો છે.
જામજોધપુર તાલુકાના કલ્યાણપર ગામના એક ખેડૂત પરિવારને વિશ્વાસમાં લઈ તાંત્રિકવિધિથી રૂપિયા બનાવી આપવાની આંબાઆંબલી બતાવી ગયા વર્ષે રૂ.દસેક લાખ પડાવી લેવાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. શેઠવડાળા પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં કેટલાક આરોપી ઝડપાયા હતા.
આ ગુન્હામાં મોરબીની પૂજા સોસાયટીમાં રહેતા બરકતઅલી પ્યારઅલી પંજવાણી નામના શખ્સની સંડોવણી ખૂલી હતી. ત્યારથી આ શખ્સ નાસતો ફરતો હતો. તે આરોપીની બાતમી મળતા ધસી ગયેલી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે આરોપીની અટકાયત કરી તેનો કબજો શેઠવડાળા પોલીસને સોંપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial