Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૧૪ લાખ પડાવી લેવાની હતી રાવઃ
જામનગર તા.૧૧ : જામનગરના એક આસામીએ પોતાનું મકાન ખાનગી બેંકને ભાડે અપાવવાનું કહી રાજકોટ ના ત્રણ શખ્સ તથા અમદાવાદના દંપતી સામે રૂ.૧૪ લાખ મેળવી છેતરપિંડી આચર્યાની જે તે વખતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં અદાલતે આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરમાં મહાવીર ઓપ્ટીકલ નામની દુકાન ચલાવતા હસમુખ જેઠાલાલ પટેલ નામના આસામીએ રાજકોટના સમીર સીદીક જગોત, અશોક ગોરધનભાઈ ચૌહાણ, વિરલ જયસુખભાઈ ચગ, અમદાવાદના રેણુકાબેન હિતેન પારેખ, હિતેન ગુલાબરાય પારેખ સામે પોલીસમાં અરજી કરી હતી.
તેમાં જણાવાયા મુજબ પંડિત નહેરૂ માર્ગ પર હસમુખ પટેલના આવેલા મકાનને રૂ.૧ લાખના ભાડાથી યુટીઆઈ બેંકને ભાડે આપવાની લાલચ બતાવી ઉપરોક્ત વ્યક્તિઓએ જુદા જુદા સમયે રૂ.૧૪ લાખ મેળવી લીધા હતા. તે પછી હસમુખ પટેલે તપાસ કરતા ઉપરોક્ત વ્યક્તિઓએ યુટીઆઈ બેંકના અધિકારીઓ વગેરેના પત્રો બોગસ ઉભા કર્યા હોવાનું જણાઈ આવ્યું હતું.
પોલીસે તપાસ પછી ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી અને ચાર્જશીટ કર્યું હતું. તે કેસ ચાલી જતાં આરોપી પક્ષે દલીલ કરી હતી કે, ફરિયાદીની આર્થિક પરિસ્થિતિ નબળી છે, તેઓએ રૂ.૧૪ લાખ આરોપીઓને આપ્યા હોય તેમ યોગ્ય પુરાવા વગર માની ન શકાય. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આઈપીસી ૧૨૦ (બી), ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૨ હેઠળના આ ગુન્હામાં આરોપી પૈકીના સમીર સીદીક જગોત, વિરલ ચગનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ હેમલ ચોટાઈ, વી.એચ. બક્ષી, હીરેન ગુઢકા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial