Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અત્યારે રૂ. ત્રણ લાખ સુધીની મર્યાદા છે, તેના સ્થાને
નવી દિલ્હી તા. ૧૧: કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ૧૯૯૮ માં શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓમાં રોકાયેલા ખેડૂતોને ૯ ટકાના વ્યાજ દરે ટૂંકા ગાળાની પાક લોન આપવામાં આવે છે. નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ માટેનું બજેટ ૧ ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરવામાં આવશે, જેમાં આ મર્યાદા વધી શકે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ઉધાર લેવાની મર્યાદા ટૂંક સમયમાં વધારીને પ લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી બજેટમાં સરકાર વર્તમાન ૩ લાખ રૂપિયાની મર્યાદા એટલે કે ક્રેડિટ મર્યાદા પાંચ લાખ રૂપિયા સુધી વધારવાની યોજના બનાવી રહી છે. નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ માટેનું બજેટ ૧ ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કિસાન ક્રેડિટ કાર્ડ પર ઉધાર લેવાની મર્યાદા છેલ્લે ઘણાં સમય પહેલા વધારવામાં આવી હતી. સરકારને મર્યાદા વધારવાની સતત માંગણીઓ મળી રહી છે. ખેડૂતોને મદદ કરવા અને ગ્રામીણ માંગ વધારવાના ઉદ્દેશ્ય સાથે સરકાર આ બજેટમાં મર્યાદા વધારવાનું વિચારી રહી છે. તેથી કિસાન ક્રેડિટ કાર્ડ પર ઉધાર મર્યાદા ૩ લાખ રૂપિયાથી વધીને પાંચ લાખ રૂપિયા થઈ શકે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ૧૯૯૮ માં શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓમાં રોકાયેલા ખેડૂતોને ૯ ટકાના વ્યાજ દરે ટૂંકા ગાળાની પાક લોન આપવામાં આવે છે. સરકાર ખેડૂતોને વ્યાજ પર ર ટકા ડિસ્કાન્ટ આપે છે, અને પ્રોત્સાહન તરીકે સમયસર ચૂકવણી કરનારા ખેડૂતોના વ્યાજમાં વધારાનો ૩ટકા ઘટાડો કરવામાં આવે છે. આ રીતે ખેડૂતોને વાર્ષિક ૪ ટકાના દરે લોન મળે છે. ૩૦ જૂન ર૦ર૩ સુધીમાં આ યોજના હેઠળ સક્રીય ક્રેડિટ કાર્ડ ખાતાઓની સંખ્યા ૭.૪ કરોડથી વધુ હતી અને તેમના પર બાકી દેવું ૮.૯ લાખ કરોડ રૂપિયા હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial