Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં આઈટીના દરોડા દરમિયાન અધિકારીઓને
ભોપાલકા તા. ૧૧: મધ્યપ્રદેશમાં આવકવેરા ટીમે એક ઘર પર દરોડો પાડયો ત્યારે મગર મળી આવ્યા હોવાથી આશ્ચર્ય સર્જાયુ હતું. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક ઘરમાંથી ચાર મગર મળી આવ્યા હતા અને અધિકારીઓ ત્યાં મગર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવકવેરા વિભાગની ટીમે એક ઘર પર દરોડો પાડયો હતો. આ દરમિયાન ઘરમાંથી ચાર મગર મળી આવ્યા હતા. આ બાબતની જાણ વન વિભાગને કરવામાં આવી હતી, ત્યારબાદ મગરોને બચાવી લેવામાં આવ્યા હતા. આ મામલે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજેશ કેસરવાની સાથે જોડાયેલા સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા હતા. રાજેશ બીડી ઉત્પાદક, મકાન બાંધકામ કોન્ટ્રાક્ટર અને ભૂતપૂર્વ ભાજપ કાઉન્સિલર છે.
જોકે, આવકવેરા વિભાગના કોઈ અધિકારીએ મગરોની રિકવરી અંગે વાત કરી ન હતી. મધ્યપ્રદેશ વન દળના વડા અસીમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ મામલે વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મગરોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. આ બાબતની સંપૂર્ણ માહિતી કોર્ટને આપવામાં આવશે અને કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
જોકે, અસીમ શ્રીવાસ્તવે કુલ કેટલા મગર મળી આવ્યા અને તે કોનું ઘર હતું તે સ્પષ્ટ કર્યું નથી. સૂત્રો કહે છે કે ઘરમાંથી કુલ ચાર મગર મળી આવ્યા હતા. વન વિભાગે મગરોને બચાવવાનું અને તેમને સલામત સ્થળે મોકલવાનું શરૂ કર્યું છે.
અધિકારીઓનું કહેવું છે કે આ મગરોની સ્થિતિ સામાન્ય છે અને આરોગ્ય તપાસ પૂર્ણ થયા પછી તેમને ખસેડવામાં આવશે. ઘરની નજીક મગર મળવાની આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. લોકો ચર્ચા કરવા લાગ્યા કે ઘરમાં મગર કેમ રાખવામાં આવે છે. આ બાબતની તપાસ ચાલી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial