Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એકાદ મહિના પહેલાં કર્યાે'તો હુમલોઃ
જામનગર તા.૧૧ : કાલાવડના નવાગામના એક પ્રૌઢ પર ઢોરના ધંધાની બાબતે એકાદ મહિના પહેલાં ભત્રીજાએ સળીયાથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી મંજૂર રાખવામાં આવી છે. કાલાવડ તાલુકાના નવાગામના ધીરૂભાઈ ગગજીભાઈ વાઘેલા નામના પ્રૌઢ પર ગઈ તા.૧૩ની સાંજે ભત્રીજા વિજય અજમલ વાઘેલાએ ઢોરના ધંધા બાબતે બોલાચાલી કરી ગાળો ભાંડ્યા પછી સળીયાથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
કાલાવડ ગ્રામ્ય પોલીસે ધીરૂભાઈની ફરિયાદ પરથી ગુન્હો નોંધી વિજય અજમલની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે. આરોપી તરફથી વકીલ એચ.બી. પરમાર, સુમિત વડનગરા, ભાવસિંહ જાડેજા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial