Advertisement
Author: નોબત સમાચાર

છત પરથી અકસ્માતે પડી જતાં ગંભીર ઈજાથી પરપ્રાંતીય યુવાનનું નિપજ્યું મૃત્યુ

ત્રણેક મહિના પહેલાંના બનાવની પોલીસને જાણ કરાઈઃ

જામનગર તા.૧૧ : જામનગરના યાદવનગરમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના એક યુવાન ત્રણ મહિના પહેલાં રહેણાંકની છત પરથી કોઈ રીતે વહેલી સવારે પડી ગયા હતા. તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બનાવની મૃતકના ભાઈએ પોલીસને જાણ કરી છે.

જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર યાદવનગર નજીક વસવાટ કરતા મૂળ ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના ગજાધરપુર ગામના વતની જગ નારાયણ સીયારામ નિશાદ (ઉ.વ.૩૦) નામના યુવાન ગઈ તા.૧૩ ઓકટોબરની સવારે પાંચેક વાગ્યે પોતાના રહેણાંક મકાનની છત પર હતા.

તેઓ વહેલી સવારે કોઈ રીતે છત પરથી પડી ગયા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ દીનદયાલ સીયારામ નિશાદે પોલીસમાં જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh