Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તપાસમાં સીઈઆઈઆર પોર્ટલનો કરાયો ઉપયોગઃ
જામનગર તા.૧૧ : જામજોધપુરના એક આસામીના મોબાઈલની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તેમાં સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી તપાસ કરાતા ચોરાઉ મોબાઈલ સાથે ઝીણાવારી ગામનો શખ્સ ઝડપાઈ ગયો છે.
જામજોધપુર પોલીસ મથકમાં ગયા વર્ષે એક આસામીના રૂ.૯૫૦૦ની કિંમતના મોબાઈલની ચોરીની ફરિયાદ કરવામાં આવી હતી.
તે ગુન્હાની તપાસ પીઆઈ એ.એસ. રબારીના વડપણ હેઠળ શરૂ કરાઈ હતી. જેમાં પ્રોબે. એએસઆઈ કે.આર. પરમાર તથા જે.ડી. મેઘનાથી, એચ.જે. ગોહિલે સીઈ આઈઆર પોર્ટલનો ઉપયોગ કરી મોબાઈલના સગડ શોધી કાઢયા હતા. તે ચોરાઉ મોબાઈલ સાથે જામજોધપુરના ઝીણાવારી ગામના મયુર રાજાભાઈ સીંગરખીયા નામના શખ્સની ધરપકડ કરાઈ છે. પોલીસે ફોન કબજે લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial