Advertisement
Author: નોબત સમાચાર

મોટા થાવરીયા ગામના પાટીયા પાસે મોટરની ઠોકરે ચઢેલા વૃદ્ધનું થયું મૃત્યુ

ગુરૂવારે સવારે સર્જાયો હતો અકસ્માતઃ

જામનગર તા.૧૧ : જામનગર-કાલાવડ રોડ પર મોટા થાવરીયા ગામના પાટીયા પાસે ગુરૂવારે સવારે નવેક વાગ્યે રોડ ક્રોસ કરતા એક વૃદ્ધને ઈકો મોટરે ઠોકર મારી ફંગોળ્યા હતા. ગંભીર ઈજા પામેલા આ વૃદ્ધનું સારવારમાં ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના નાનાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા મોટા થાવરીયા ગામના સોમાભાઈ મેઘાભાઈ મકવાણા નામના વૃદ્ધના મોટા ભાઈ વાલાભાઈ રામાભાઈ ગુરૂવારે સવારે નવેક વાગ્યે મોટા થાવરીયા નજીકની માલધારી હોટલથી ચા પીને જાજરૂ જતા હતા.

તેઓ જ્યારે મોટા થાવરીયા ગામના પાટીયા રોડ ક્રોસ કરતા હતા ત્યારે જીજે-૩-ઈએલ ૭૦૪૩ નંબરની ઈકો મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તેના ચાલકે વાલાભાઈને ઠોકર મારી ફંગોળ્યા હતા. આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા વાલાભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગઈકાલે મૃત્યુ નીપજ્યું છે.

આ અકસ્માત અંગે સોમાભાઈ મકવાણાએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઈકોચાલક સામે એમવી એક્ટ તથા બીએનએસની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh