Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રેસ્ટોરન્ટ સંચાલક સામે કરાયેલો દાવો વ્યાજ-ખર્ચ સાથે મંજૂર

માત્ર ૧૩ દિવસમાં અદાલતે આપ્યો ન્યાયઃ

જામનગર તા.૧૧ : જામનગરના ઠેબા બાયપાસ પાસે આવેલા એક રેસ્ટોરન્ટના સંચાલક સામે બાકી રકમ વસૂલ મેળવવા નગરની પેઢીએ અદાલતનો આશરો લીધો હતો. દાવો કર્યાના માત્ર ૧૩ દિવસમાં અદાલતે તે દાવો વ્યાજ તથા ખર્ચ સાથે મંજૂર કર્યાે છે.

જામનગરના ઠેબા બાયપાસ પાસે આવેલી ધાબા એ જામનગરની નામની રેસ્ટોરન્ટના માલિક ચિરાગ ભાણજીભાઈ મુંગરાએ તેમના સ્ટાફના ડ્રેસ તથા ટોપી બનાવી આપવા માટે જામનગરની રંગોલી કોર્પોરેશનને કામ આપ્યું હતું. તે પેટે રૂ.૫૧,૨૪૯ ચૂકવવાના બાકી હતા.

તે રકમ ચિરાગ મુંગરાએ ન ચૂકવતા રંગોલી કોર્પોરેશન દ્વારા અદાલતમાં સમરી સિવિલ દાવો કરવામાં આવ્યો હતો. તે દાવાનું સમન્સ મળવા છતાં કાયદા અનુસાર દસ દિવસમાં ચિરાગ મુંગરા કોર્ટમાં હાજર ન થતાં અદાલતે વાદીનો દાવો વ્યાજ તથા ખર્ચ સાથે મંજૂર કર્યાે છે. આ હુકમ અદાલતે માત્ર ૧૩ દિવસમાં આપ્યો હતો. વાદી તરફથી વકીલ બી.એન. શેઠ, નિશ શેઠ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh