Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કતલખાને મોકલાય તે પહેલાં પશુઓને મુક્ત કરાવાયાઃ
જામનગર તા. ૫:જામનગરના કાલાવડ નાકા બહાર કલ્યાણ ચોકમાં એક વાડામાં બે શખ્સે ક્રુરતાપૂર્વક બાંધી રાખેલા ૩૨ પાડાને પોલીસે મુક્ત કરાવ્યા છે. આ મુંગા જીવને કતલખાને ખસેડવામાં આવે તે પહેલાં પોલીસને તેની બાતમી મળી જતાં અબોલ જીવ બચી ગયા છે. બંને શખ્સ સામે પોલીસે ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. ઢોરને પાંજરાપોળમાં ખસેડવામાં આવ્યા છે અને સ્થળ પરથી એક રિક્ષા પણ ઝબ્બે લેવામાં આવી છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા કલ્યાણ ચોકમાં એક વાડામાં કેટલાક ઢોર ક્રુરતાપૂર્વક બાંધી રાખી તેને કતલખાને ખસેડવાની તજવીજ કરાતી હોવાની બાતમી મળતા સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી દરબારગઢ પોલીસચોકીના પીએસઆઈ ડી.જી. રામાનુજ તથા સ્ટાફે કલ્યાણ ચોકમાં અલાબીદ કોમ્પલેક્ષ સામે દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલા એક વાડામાં બનાવવામાં આવેલા ઓરડામાં નાના મોટા ૩૨ પાડા અત્યંત ક્રુરતાથી બાંધેલા જોવા મળ્યા હતા. ૧૧ ફૂટની પહોળાઈ અને ર૮ ફૂટની લંબાઈ ધરાવતા ઓરડામાં ભેંસના નાના મોટા ૩૧ પાડરડા અને એક મોટો પાડો બાંધી રાખવામાં આવેલો જોવા મળ્યો હતો.
આ પ્રાણીઓ હલનચલન પણ ન કરી શકે તે રીતે બાંધી રાખી જામનગરના કસાઈવાડા પાસે રહેતા બીલાલ શબ્બીર શેરજી નામના ખાટકી શખ્સ તથા પ્રણામી ટાઉનશીપ નજીક રિદ્ધિ સિદ્ધિ સોસાયટી પાસે છેલ્લી ગલીમાં રહેતા સરફરાજ ઓસમાણ દલ નામના સંધી શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. અંદાજે રૂ.૧ લાખ ૩ હજારની કિંમતના આ જીવંત પશુઓને કતલખાને ધકેલવાના હતા. તેને રાત્રે જ પોલીસે મુક્ત કરાવી દીધા છે. પોલીસે સ્થળ પરથી જીજે-૧૦-ટીઝેડ ૩૮૭૭ નંબરની રિક્ષા પણ કબજે કરી છે. બીલાલ તથા સરફરાજ સામે એએસઆઈ એન.કે. ઝાલાએ ખુદ ફરિયાદી બની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પશુ પ્રત્યે ક્રુરતા નિવારણ અધિનિયમની કલમો હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial