Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેલમાં કામગીરી કરીને ભરણપોષણ ચૂકવવા હુકમઃ
જામનગર તા. ૫:જામનગરના એક આસામી સામે તેમના પત્નીએ ચઢત ભરણપોષણ મેળવવા કરેલી અરજી અન્વયે અદાલતે સખત કેદની સજા ફટકારી છે અને જેલમાં કામ કરીને જે રકમ પ્રાપ્ત થાય તે રકમ ભરણપોષણ પેટે ચૂકવવા આદેશ કર્યાે છે.
જામનગરના સમર્પણ હોસ્પિટલ સર્કલ નજીક વસવાટ કરતા કિશોર બાબુભાઈ મકવાણા સામે જાંબુડામાં રહેતા તેમના પત્ની વર્ષાબેન શામજીભાઈ પંચાસરા અને પુત્રએ ભરણપોષણ મેળવવા માટે જામનગરની અદાલતમાં કરેલી અરજી ચાલી જતાં અદાલતે ભરણપોષણ આપવા હુકમ કર્યાે હતો.
તે હુકમ પછી પણ કિશોર બાબુભાઈ દ્વારા ભરણપોષણ ચૂકવવામાં આવતું ન હોવાથી તેની રકમ ચઢત થઈ ગઈ હતી. તેની વસૂલાત માટે અદાલતમાં ફરીથી અરજી કરાઈ હતી. અદાલતે અરજી અન્વયે કિશોર બાબુભાઈ મકવાણાને ૬૦ દિવસની સખત કેદની સજા ફટકારી છે અને જેલવાસ દરમિયાન કામગીરી કરીને જે રકમ મળે તે રકમ દરેક મહિનાના અંતે અદાલતમાં જમા કરાવવા અને તે રકમ ભરણપોષણ પેટે અરજદારોને ચૂકવી આપવા હુકમ કરાયો છે. અરજદારો તરફથી વકીલ જયેશ કારસારીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial