Advertisement
Author: નોબત સમાચાર

લાખોટા તળાવમાં કલાત્મક દરવાજાનું નિકંદન કાઢતું મહાનગરપાલિકા

વિકાસ માટે વિનાશ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫:લાખોટા તળાવ વચ્ચેના કોઠામાં જવા માટે ભુજીયા કોઠાથી ત્યાં સુધી બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા એક આકર્ષક કલાત્મક ડિઝાઈનવાળા ગેઈટનું બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યું છે. કોઈ પણ વિકાસ કાર્ય હર હંમેશ આવકાર્ય છે, પરંતુ વિનાશના ભોગે નહીં. અહીં પણ એવું જ છે. ખંભાળીયા નાકાથી ભુજીયા કોઠામાં જવા માટે બ્રિજ બનાવાઈ રહ્યો છે શું મહાનગરપાલિકાને ખબર છે કે દરરોજ ખંભાળીયા ગેઈટ જોવા કેટલા લોકો આવે છે ?

દરરોજ પાંચ લોકો પણ જ્યાં જતા નથી ત્યાં લાખો રૂપિયાના આંધણ કોના માટે  કરવામાં આવી રહ્યા છે ?

ફકત હેરીટેઈજ ચેઈનના નામે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. આ બાબતે કોઈ અભ્યાસ પણ કરતું નથી કે આ કામની જરૂર છે કે કેમ ? હજી થોડા સમય પહેલા લાખોટા તળાવ વચ્ચેના કોઠા પાસેના દરવાજાનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું હવે એક બે વર્ષમાં આ દરવાજાને તોડી પાડવામાં આવનાર છે. પહેલા રીનોવેશન. રેસ્ટોરેશન માટે ખર્ચ કરાયો હતો હવે તોડવા માટે ખર્ચ થશે. પછી બીજો બનાવવા માટે ખર્ચ થશે. આમ એક સરખા કામ માટે એકથી વધુ વખત પૈસાનું પાણી થશે.

શા માટે જુના દરવાજાનું એકાદ-બે વર્ષ પહેલા રેસ્ટોરેશન કરાયું ? અને હવે ત્યાં જ બીજા બનાવવામાં નડતરરૂપ હોવાથી આખી ઈમારત તોડવામાં આવે છે. અધિકારીઓ પાસે એકાદ-બે વર્ષ માટેનું આગોતરૃં આયોજન નથી ? સૌ કોઈ જાણે છે કે શા માટે વારંવાર પાડતોડ - બાંધકામ થઈ રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh