Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેઠ સુદ નોમના દિવસે ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયાઃ શોભાયાત્રા નીકળીઃ સ્પર્ધાઓ યોજાઈ
જામનગર તા. ૫:રાજસ્થાનના લોહગલમાં મહેશ નોમના માહેશ્વરી વણિક સમાજની ઉત્પત્તિ થઇ હતી, જે નિમિત્તે દર વર્ષે મહેશનોમ સમિતિ, જામનગર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેની ઉજવણી અંતર્ગત તા. ૩૧.૫ ૨૦૨૫ના સમાજના નાના બાળકોથી લઈને વરિષ્ઠ લોકો માટે સંગીત ખુરશી, લીંબુ ચમચી, કોથળા દોડ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તા. ૧.૬.૨૦૨૫ના સાંજે વિવિધ સ્પર્ધના વિજેતાઓને પ્રોત્સાહક ઇનામો અપાયા હતા, આ કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા કૃતિઓ રજુ કરાઇ હતી., સમાજના સી.એ. થયેલા તેમજ વર્ષ દરમ્યાન વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવનારઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના શ્રેષ્ઠીઓ અને પરિવારના સભ્યો ઉપસ્થિત રહયા હતા.
સમારંભને અંતે સમસ્ત માહેશ્વરી વણિક સમાજનો સ્વરૂચી સમૂહભોજન સમારોહ યોજાયો હતો. ત્યારબાદ તા. ૪.૬.૨૦૨૫ને મહેશનોમના દિવસે સવારે જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક આવેલા શ્રી હેમેશ્વર મહાદેવના મંદિરમાં ઘ્વજા પૂજન કરવામાં આવ્યું હતું. બાદમાં, મંદિરથી ધજા પતાકા અને ધ્વજાજી સાથે ધોતી અને ઝભ્ભા જેવા પરંપરાગત વસ્ત્રોમાં માહેશ્વરી વણિક સમાજના શ્રદ્ધાળુઓએ શોભાયાત્રામાં ભાગ લીધો હતો. જેમાં સમાજના તમામ લોકો ઉત્સાહભેર જોડાયા હતા.
શોભાયાત્રા દરમ્યાન સમાજની મહિલાઓ તથા યુવાનો રાસ રમ્યા હતા, અને સર્વેશ સમીર સારડાએ તલવાર નૃત્ય રજૂ કર્યું હતું. બાદમાં નીજ મંદિરના શિખર ઉપર ઘ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સમાજના દરેક શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કરીને આવતા વર્ષે ફરીથી ધ્વજાજીની મહાપૂજાના સંકલ્પ કર્યો હતો.
આ પાવન કાર્યક્રમના આયોજનમાં જામનગરના મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ વ્યાસ (મહાદેવ) અને તેમની ટીમ તથા જામનગર મહાનગર પાલિકાના ફાયર વિભાગનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial