Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સર્વ જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે
જામનગર તા. ૫:રિટેલ વેપારી મહામંડળ-જામનગર દ્વારા સર્વ જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે ફુલસ્કેપ એ-ગ્રેડ ક્વોલિટી, ૧૪૪ પેજના ચોપડા, રૂપિયા બત્રીસના રાહતભાવે વિતરણ કરવાનો પ્રારંભ જામનગરના વરિષ્ઠ પત્રકાર અને અનેક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા પાર્થભાઈ સુખપરીયાના હસ્તે ગણેશ કાર્ડ, માધવદર્શન કોમ્પ્લેકસ, જૈન દેરાસરની બાજુમાં, લાલબંગલા રોડ, જામનગરમાં કરવામાં આવ્યો હતો. આ સમયે સંસ્થાના પ્રમુખ શશીકાન્ત મશરૂ, પરેશ ખખ્ખર, રાજુભાઈ કટારીયા, જીતેશભાઈ સોમૈયા, દિપકભાઈ દવે, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ફુલસ્કેપ ચોપડાનું વિતરણ સવારના નવથી રાત્રિના નવ સુધી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial