Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે કેમ્પનું આયોજનઃ
ખંભાળીયા તા. ૫:માનવ સેવા સમિતિ, ખંભાળીયાના ઉપક્રમે રવિવાર તા. ૮-૬-૨૫ ના રોજ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે લલિતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલમાં સવારે ૯ થી ૧૧ઃ૩૦ વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આંખના કેમ્પમાં વીરનગરની ખ્યાતનામ શિવાનંદ મિશન હોસ્પિટલની ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓને તપાસી સારવાર તેમજ દવા આપવામાં આવશે. ઓપરેશનની જરૂર જણાયેલ દર્દીઓને તે જ દિવસે બસ દ્વારા વીરનગર લઈ જઈ આધુનિક ફેંકો પદ્ધતિથી બીજે દિવસે ઓપરેશન કરી આપવામાં આવશે તેમજ ત્રીજે દિવસે બસ દ્વારા પરત લઈ આવવામાં આવશે. ઉપરોક્ત સેવા પ્રવૃત્તિઓનો ખંભાળીયા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભ લેવા માટે માનવસેવા સમિતિના પ્રમુખ મનુભાઈ પાબારીએ અપીલ કરેલ છે.
કેમ્પને સફળ બનાવવા સંસ્થાના ટ્રસ્ટી ધિરેનભાઈ બદીયાણી, ખજાનચી વિમલભાઈ સાયાણી, સેક્રેટરી રાજુભાઈ મજીઠીયા, સહખજાનચી સુભાષભાઈ બારોટ જહેમત ઉઠાવી રહ્યા છે.
કેમ્પનો લાભ લેનાર દર્દીઓ માટે તમામ વ્યવસ્થા હોસ્પિટલ તરફથી વિનામૂલ્યે કરવામાં આવી છે. કેમ્પમાં આંખના નંબર કાઢી આપવામાં આવશે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial