Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવા પાટા નાંખ્યા છતાં આવું કેમ થયું ?: તપાસ શરૂ
જામનગર તા. ૩૦: જામનગરના બેડી-જોડિયા-ભૂંગા વિસ્તારમાં ગઈ રાત્રે એ ટ્રેન એન્જિન પાટા ઉપરથી ઉતરી ગયું હતું. આખરે રેલવે સ્ટાફે ફરી એન્જિનને પાટે ચઢાવ્યું હતું.
વીન્ડમીલથી બેડી પોર્ટ તરફ જઈ રહેલ રેલ એન્જિન કોઈંપણ ટેકનિકલ કારણોસર પાટા ઉપરથી ઉતરી ગયું હતું.
જોડિયા-ભૂંગા વિસ્તારમાં નવા નાંખવામાં આવેલ પાટા ઉપરથી પસાર થતા સમયે એન્જિન પાટા ઉપરથી ખડી પડતા તાત્કાલિક રેલવેના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આમ એન્જિનિયર્સ સહિતનો રેલવેનો વિશાળ કાફલો દોડી આવ્યો હતો અને એન્જિનને ફરી વખત પાટા ઉપર ચઢાવ્યું હતું. આ બનાવ અંગે રેલવે દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે શા માટે એન્જિન પાટા ઉપરથી ઉતર્યું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial