Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦: શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, જામનગર અને ઠક્કર બાપા રચનાત્મક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મફત છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર અમુભાઈ ભારદિયાના વરદ હસ્તે કરવામાં આવ્યો છે. આ પ્રસંગે વિકાસ ગૃહ અને ઠક્કર બાપા રચનાત્મક ટ્રસ્ટના પ્રમુખ કરશનભાઈ ડાંગર, વિકાસગૃહના મંત્રી હીરાબેન તન્ના, વિકાસગૃહને સોલાર પ્લાન્ટ અર્પણ કરનાર દાતા પ્રદીપભાઈ કાનાબાર, હરિનભાઈ બદિયાણી, પ્રશાંતભાઈ કાનાબાર, સર્વોદય યોજનાના સંચાલક દોસ્તભાઈ બ્લોચ, મણિયારભાઈ તથા દિલીપમામા, વોર્ડ નંબર ૩ ના કોર્પોરેટર સુભાષભાઈ જોષી અને વિકાસ ગૃહ પરિવારના સર્વે ઉપસ્થિત રહ્યા હતાં. વિકાસ ગૃહ પરિવાર વતી પ્રમુખ કરશનભાઈ ડાંગરએ સૌને શબ્દોથી આવકાર આપી દાતા પરિવારનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો અને સંસ્થાને સોલાર પ્લાન્ટના દાનથી કાયમી આવકનો સ્ત્રોત પૂરો પાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial