Advertisement
Author: નોબત સમાચાર

મિલકત નામ ટ્રાન્સફર અરજી સમયે જુના સમયગાળાની ટેક્સ બાકી કાઢવી અયોગ્ય

ખરીદનાર છેલ્લો વેરો ભરી દીધાની પહોંચ મોકલ્યા પછી જ દસ્તાવેજ કરાવે તો પણ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગર મહાનગરપાલિકાનું મિલકત વેરા શાખામાં નામ ટ્રાન્સફરની અરજી અન્વયે ડિફરન્સ ટેક્સની વસૂલાત કાઢવામાં આવે છે. જે અંગે એડવોકેટ પ્રતીક શાહએ કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

નામ ટ્રાન્સફરની અરજી સમયે ર૦૦પ પહેલાનો કે અન્ય સમયગાળાનો ડિફરન્સ ટેક્સ બાકી કાઢવામાં આવે છે, જે યોગ્ય નથી.

મિલકત ખરીદનારાએ છેલ્લો મિલકત વેરો ભરપાઈ કર્યાની પહોંચ મિલકત વેંચનાર પાસેથી મેળવીને દસ્તાવેજ કરાવતા હોય છે. આવા સમયે અગાઉનો ડિફરન્સ ટેક્સ બાકી કાઢવામાં આવે તે યોગ્ય નથી. એક પાનાના ફોર્મ માટે ૧૦ રૂપિયા ફી વસૂલવામાં આવે છે, તે પણ વ્યાજબી નથી. જુના ભાડૂઆતના બીલો તથા નિયમિત વેરો ભરતા મિલકત ધારકોના બીલો કાઢવામાં આવે છે. આ અંગે યોગ્ય પગલાં લવા જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh