Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં કુલ ૧૩ દર્દીઓ સારવાર હેઠળ
જામનગર તા. ૩૦: જામનગરના ૧૩ સહિત ગુજરાતમાં કોરોનાના રર૩ એક્ટિવ કેસ નોંધાયા છે, જે ૩ દિવસમાં બમણો વધારો દર્શાવે છે. અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાના કેસની ચિંતાજનક ગતિ યથાવત્ રહી છે. કોરોનાના એક્ટિવ કેસનો આંક હવે વધીને રર૩ થઈ ગયો છે. આમ છેલ્લા ૩ દિવસમાં કોરોનાના એક્ટિવ કેસમાં બમણા જેટલો વધારો થયો છે. રાહતની વાત એ છે કે રર૩ પૈકી માત્ર ૧૧ દર્દી જ એવા છે જેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે. અન્ય દર્દીઓ ઘરે જ સારવાર લઈ રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં સોમવારે સાંજ સુધીમાં કોરોનાના ૧૦૯ દર્દીઓ હતાં, જેની સરખામણીએ હવે દર્દીઓનો આંક હવે બેગણો વધી ગયો છે. હાલ સૌથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ હોય, તેમાં અમદાવાદ ૧૪પ સાથે મોખરે છે.
અમદાવાદમાં કુલ ચાર દર્દીઓ હાલ સિવિલમાં સારવાર લઈ રહ્યા છે, જેમાં અસારવા સિવિલમાં ૩ દર્દીઓ છે, જેમાં ૪૪ વર્ષિય પુરુષ, ૬૭ વર્ષિય મહિલા અને ૮ માસની બાળકીનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી અન્યત્ર રાજકોટ કોર્પોરેશનમાં ર૩, જામનગર કોર્પોરેશનમાં ૧૩, સુરત કોર્પોરેશનમાં ૯ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અન્ય રાજ્યની વાત કરવામાં આવે તો જામનગરમાં ૧૩, સુરતમાં ૯, ભાવનગર કોર્પોરેશનમાં ૭, કચ્છ-મહેસાણામાં ૬-૬, ગાંધીનગર કોર્પોરેશનમાં પ, બનાસકાંઠા-ભાવનગર ગ્રામ્ય-જૂનાગઢ-ખેડામાં ર-ર દર્દીઓ હાલ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
કોરોનાના તમામ દર્દીઓના સેમ્પલ હાલ જીનોમ સિકવન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવે છે, જેના આધારે તેમને ક્યો વેરિયન્ટ છે તે ચકાસાય છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હાલ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ડોક્ટરોના મતે શંકાસ્પદ લક્ષણ દેખાય તેમણે ટેસ્ટ કરાવી લેવો હિતાવહ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial