Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડિમોલીશન નહીં કરવાની માંગ સામે
જામનગરના બચુનગર વિસ્તારમાં કરવામાં આવનાર ડિમોલીશન સામે આજે અસરગ્રસ્તો બહોળી સંખ્યામાં મહાનગરપાલિકા કચેરીમાં રજૂઆત માટે પહોંચ્યા હતાં. જામનગરની રંગમતિ નદીમાં એક તરફ રીવર ફ્રન્ટ પ્રોજેક્ટનું આયોજન થઈ રહ્યું છે. બીજી તરફ નદીના પટમાં થયેલા અનઅધિકૃત દબાણો દૂર કરવા સંબંધિતોને મહાનગરપાલિકા દ્વારા નોટીસો પાઠવાઈ હતી જેની મુદ્ત પૂર્ણ થઈ રહી છે. આથી આજે મોટી સંખ્યામાં બચુનગરના રહીશો રજૂઆત માટે મહાનગરપાલિકા કચેરીમાં પહોંચ્યા છે, અને પોતાના મકાનોની પાડતોડ નહીં કરવા માંગણી સાથે રજૂઆત કરી રહ્યા છે, જો કે અગાઉ તેમને રૂબરૂ પણ સાંભળવામાં આવ્યા હતાં. હવે ટૂંક સમયમાં મહાનગરપાલિકા દ્વારા કોઈ એક્શન લેવાય તેમ હોવાથી આજે અસરગ્રસ્તો મહાનગરપાલિકા કચેરીમાં પહોંચ્યા છે. બીજી તરફ વાતાવરણ ઉગ્ર બને નહીં અને સ્થિતિ શાંતિપૂર્ણ જળવાઈ રહે તે માટે વિશાળ સંખ્યામાં પોલીસ કાફલો પણ મહાનગરપાલિકાના પટાંગણમાં ખડકી દેવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial