Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટી ખાવડીની પેઢીને અપાયા હતા ચેકઃ
જામનગર તા. ૩૦: જામનગરની મોટી ખાવડીની એક પેઢી દ્વારા ખંભાળિયાની અદાલતમાં મોરબીની પેઢી વાળા બે આસામી સામે રૂ.રપ લાખના ચેક પરત ફર્યાની ફરિયાદ કરાઈ છે.
જામનગરના નારણભાઈ ગોવિંદભાઈ વાસજારીયા તથા સીદસર ઉમિયા માતાજી ટ્રસ્ટના પ્રમુખના પુુત્ર અમરશી જેરામભાઈ વાસજારીયા કે જેઓ હાલમાં મોરબીમાં જેટ ગ્રેનીટ નામની પેઢીથી સીરામીક ટાઈલ્સનો વ્યવસાય કરે છે તેઓએ જામનગર તાલુકાના મોટી ખાવડીની રઘુબીરા મીનરલ્સ નામની પેઢી પાસેથી પેટકોકની અગાઉ ખરીદી કરી હતી.
આ ખરીદી પેટે તેઓએ રૂ.૯ર લાખ ચૂકવવાના બાકી હતા. તેમાંથી રૂ.રપ લાખ ચૂકવવા ચેકો આપ્યા હતા. તે ચેક બેંકમાંથી પરત ફરતા રઘુબીરા મીનરલ્સ દ્વારા ખંભાળિયાની અદાલતમાં કેસ કરવામાં આવ્યો છે. ફરિયાદી પેઢી તરફથી વકીલ શનિરાજસિંહ એચ. જાડેજા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial