Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાડાટોડા ગામના વૃદ્ધ રામધૂનમાં ગયા હતાઃ
ધ્રોલ તા. ૩૦: ધ્રોલ નજીક એક કારખાનામાં ચાલુ કરવામાં આવેલી અખંડ રામધૂનના સ્થળે ગઈકાલે હાડાટોડા ગામના એક જ વૃદ્ધ ભાવિકનું હૃદયરોગનો પ્રાણઘાતક હુમલો આવી જતા મૃત્યુ નિપજ્યું છે. મંજીરા વગાડતી વેળાએ તેઓને હૃદયરોગ ભરખી જતા ગમગીની ફેલાઈ જવા પામી છે.
ધ્રોલથી જામનગર તરફ ધોરીમાર્ગ પર આવેલા એક કારખાનામાં છેલ્લા ૧૩ મહિનાથી શરૂ કરવામાં આવેલી અખંડ રામધૂનમાં ગઈકાલે ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના વિદુરસિંહ હરધ્રોલજી જાડેજા ઉર્ફે ભગત નામના પંચોતેર વર્ષના વૃદ્ધ રોજિંદા ક્રમ મુજબ મંજીરા વગાડી રામધૂન કરતા હતા ત્યારે તેઓને છાતીમાં દુખાવો ઉપડયો હતો.
રામધૂનમાં મગ્ન આ વૃદ્ધ છાતી દબાવીને ઢળી પડ્યા પછી ત્યાં હાજર અન્યભાવિકો દોડી આવ્યાહતા. તેઓએ વિદુરસિંહને સારવારમાં ખસેડવાની તજવીજ કરી હતી પરંતુ તે પહેલાં આ ભાવિક વૃદ્ધનું હૃદયરોગના તિવ્ર હુમલાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. રામધૂન કરતી વેળાએ આ વૃદ્ધને હૃદયરોગનો હુમલો ભરખી જતા ગમગીની પ્રસરી જવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial