Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય સંચાલક મંડળ દ્વારા
ખંભાળિયા તા. ૨૫: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ શાળાઓમાં સરાસરી હાજરી જળવાય તો વર્ગ બંધને તે પછીનો પણ ક્રમીક વર્ગ બંધ કરવાનો નિર્ણય કરતા આ બાબતે રાજ્ય સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી તથા નિયામકને રજૂઆત કરવામાં આવી છે.
રાજ્યની સામાન્ય અને ગરીબ મધ્યમ વર્ગની જનતાના બાળકો માટે ગ્રાન્ટેડ શાળા ખૂબ જ ઉપયોગી થતી હોય સરકારી શાળાઓની જેમ ગ્રાન્ટેડ શાળાઓમાં પણ સરાસરી હાજરીનો નિયમ રદ કરવા માંગ કરાઈ છે.
અગાઉ સરાસરીથી સંખ્યા ઘટતા નિયત દરે ગ્રાન્ટ કાપ કરાતો અને અગાઉના વર્ષમાં શાળાને સંખ્યા વધારવાની તક મળતી હતી પણ આ ૮-૩-૧૧ના ઠરાવની જોગવાઈ મુજબ સરાસરી હાજરી ઘટતા ધો. ૯ અને ૧૧ નો વર્ગ જ બંધ કરવો તથા તેના પછીના વર્ષે ધો. ૧૦ અને ધો. ૧૨નો ક્રમીક વર્ગ પણ બંધ કરવાનો નિયમ અન્યાયી છે.
રાજ્યમાં આવી રીતે ગ્રાન્ટેડ શાળાઓ કે જે અત્યંત પછાત અને ગરીબ વિસ્તારોમાં પણ આવેલી છે તથા ત્યાં વર્ગો બંધ થતાં શિક્ષકો ફાજલ થશે તથા ધીરે ધીરે ગ્રાન્ટેડ શાળાઓ જ બંધ થઈ જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial